סרטונים אחרונים

GUJARAT DEKHO
6 צפיות · לִפנֵי 15 ימים

⁣દ્વારકા પગપાળા યાત્રા દિવસ 1 ॥ થાનગઢ થી શરુઆત ॥ Dwarka Pagpala Yatra Day 1


આજે અમે થાનગઢના વાસુકી દાદાના દર્શન કરીને અમારી દ્વારકા પગપાળા યાત્રા શરુ કરી છે.


#dwarkapadyatra #dwarkadhish #thangadh #tankara #dhrol #gujaratdekho #padyatra #દ્વારકા #પગપાળા #ગુજરાતદેખો #apnatubevirul #apnatubevideo

GUJARAT DEKHO
11 צפיות · לִפנֵי 1 חוֹדֶשׁ

⁣ઘેલા સોમનાથ મહાદેવ મંદિર રાજકોટ જીલ્લાના જસદણ તાલુકામાં આવેલું ઐતિહાસિક મંદિર છે.

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી આસપાસનો છે. વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.

ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

આ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની યાદીમાં પણ સ્થાન ધરાવતું ઐતિહાસિક મહાદેવનું મંદિર છે.
ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ઘેલા સોમનાથનાં મંદીરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે. સમયની સાથે આ મંદીરનો વિકાસ થતો જાય છે. યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ આવેલી છે. મંદીરની બાજુમાં ગૌશાળા છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે.
ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે.

શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકરદાદાનાં દર્શને લોકોનો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. અને શ્રાવણી અમાસના દિવસે અહીં મેળો પણ ભરાય છે.

રહેવાની વ્યવસ્થા
આમ તો અમદાવાદ કે રાજકોટથી એક દિવસમાં દર્શન કરીને પાછા ફરી શકાય છે પરંતુ જો રોકાવું હોય તો મંદિરની ધર્મશાળામાં રોકાઇ શકો છો જેનો મોબાઇલ નંબર +91 99799 24986 છે. અહીં એસી અને નોન-એસી રૂમ ઉપલબ્ધ છે.

રસ્તા માર્ગે
જો રાજકોટથી આવો તો સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી 80 કિ.મી. દૂર છે.
અમદાવાદથી (વાયા બાવળા, બગોદરા, પાળીયાદ, વિંછીયા) 190 કિ.મી. દૂર છે.

આજુ બાજુમાં જોવા લાયક સ્થળ
ગંગેશ્વર મહાદેવ-14
સતરંગ-15
હિંગોળગઢ-20
બિલેશ્વર મહાદેવ-20
સ્વામીના ગઢડા-25
પાળીયાદ-40
સાળંગપુર-70

- - -
ghelasomnath,
ghela somnath mahadev temple,
history of ghelasomnath,
ઘેલા સોમાનાથ,
mahadev,
somnath,
gujarat dekho,

- - -
#ghelasomnath #ghelasomnathmahadevtemple
#historyofghelasomnath
#mahadev
#somnath
#gujaratdekho
#gujarativideo
#apnatubevirul

GUJARAT DEKHO
4 צפיות · לִפנֵי 2 חודשים

⁣Discover the Magnificent Trimandir in Surendranagar । સુરેન્દ્રનગરનું ફરવા લાયક એક સ્થળ ત્રિમંદિર


ત્રિમંદિર - સુરેન્દ્રનગર

મંદિર સંકુલ 13,190 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જ્યારે મંદિરનું પ્લેટફોર્મ 5,656 ચોરસ ફૂટ છે. આખું સંકુલ એક લીલાછમ બગીચાથી ઘેરાયેલું છે, જેમાં બેન્ચ છે, તેમજ મધ્યમાં એક સુંદર ફુવારો છે.

આ મંદિરમાં જ્ઞાનીપુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પર એક માહિતીપ્રદ સંગ્રહાલય અને મીની થિયેટર પણ છે, જેમના દર્શન માટે ત્રિમંદિર બનાવવામાં આવ્યું છે. તેમનો ઉદ્દેશ્ય ધર્મો વચ્ચેના મતભેદોને દૂર કરવાનો અને ધર્મોને આત્માના સ્થાને પાછા લાવવાનો હતો. બિન-સાંપ્રદાયિક મંદિરનું નિર્માણ એ તેમના સંકલ્પને પરિપૂર્ણ કરવાનો એક માર્ગ હતો. મ્યુઝિયમ દર વર્ષે અંદાજે 30,000 મુલાકાતીઓ મેળવે છે.


રવિવારે, સત્સંગ હોલમાં પુખ્ત વયના લોકો માટે થીમ શો બતાવવામાં આવે છે. આ થીમ શો તમામ મહત્વપૂર્ણ આધ્યાત્મિક પ્રશ્નોના જવાબો પ્રદાન કરે છે જેમ કે: બધા ધર્મોનો સાર શું છે? હું કોણ છું? હું ચિંતાઓ અને દુઃખોથી કેવી રીતે મુક્ત થઈ શકું? અને કાયમી સુખ શું છે?

ગુરુપૂર્ણિમા હોય, રક્ષાબંધન હોય, જન્માષ્ટમી હોય, ગણેશ ચતુર્થી હોય, પર્યુષણ હોય, નવરાત્રી હોય, દિવાળી હોય કે નવું વર્ષ હોય - દર વર્ષે તમામ તહેવારો ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આ તહેવારોમાં ભાગ લેવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે.

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
સવારે 6:30 થી 9:30 વાગ્યા સુધી

જવાનો શ્રેષ્ઠ સમય
આમ તો વષઁ દરમ્યાન ગમે ત્યારે જઈ શકાય છે પણ મોટી પૂજામાં ભાગ લેવા માટે તહેવારનો સમય શ્રેષ્ઠ છે.


---
trimandir
trimandir surendranagar
dada bhagwan
dada bhagwan trimandir
gujarat dekho
hindu temple
gujarat tour
about surendranagar
places to visit near surendranagar

- - -
Location:- ⁣https://maps.app.goo.gl/CURZd1aWfLsr8HWQ9

GUJARAT DEKHO
11 צפיות · לִפנֵי 2 חודשים

⁣GANPATI FATSAR TEMPLE HISTORY । પૌરાણિક ગણેશ મંદિર । દરેકની મનોકામના પૂણઁ થાય છે

સુરેન્દ્રનગર-વઢવાણ જોડીયા શહેરના ગણેશ ભકતોની આસ્થા કેન્દ્ર સમાન ગણપતિ ફાટસર મંદિર વઢવાણ-રતનપર બાયપાસ પર આવેલું છે.
આ મંદિરનું રસ્તામાં આવતા રેલ્વે ફાટકના લીધે ફાટસર મંદિર નામ પડયું હોવાનું હાલના લોકો માને છે. પરંતુ આ મંદિરનો ઈતિહાસ કંઈક અનેરો છે.

અહિંયા સમગ્ર વષઁ દરમિયાન દર મંગળવાર ઉપરાંત ગણેશ ચતુથીઁ, વિનાયક ચોથ, સંકટ ચતુથીઁના દિવસે ગણેશ ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

તે ઉપરાંત મકરસંક્રાંતિ, નવુ વષઁ, જલારામ જયંતિ જેવા તહેવારો ખૂબજ સુંદર રીતે ઉજવવામાં આવે છે.

આ ગણપતિ મંદિર સાથે જલારામ મંદિર અને ગૌશાળા આવેલી છે.
ઘણા બધા લીલાછમ વ્રુ્ક્ષો આવેલા હોવાથી પયઁટન સ્થળ બની ગયું છે અને દર મંગળવારે નાની એવી બજાર પણ ભરાય છે.
- - -
https://goo.gl/maps/f3wsLEqoHgFurC4u9
- - -

Your Query:-
ganesh temple
hindu temple
ganesh temple
ganesh mandir darshan
ganesh video
gujarat tourism
gujarat dekho
ganesh mandir tour
ganpati fatsar history
historical ganesh temple
siddhivanayak mandir
siddhivinayak temple
jalaram mandir
jalaram temple
gaushala
ગણપતિ મંદિર
ગણપતિ દાદા ફાટસર
ગણેશ મંદિર

- - -
#ganesh
#ganpati
#gajanan
#siddhivinayak
#gujaratdekho
#ગણેશ #ગણપતિ #apnatube
- - -

להראות יותר